Tuesday, November 1, 2011

જયારે કોઈ એમ કહે કે : I'm FINE yaar! please leave me Alone!

મને થોડા સમય પહેલા એક મેસેજ મળ્યો હતો જે કંઇક આ મુજબ હતો.
"AVOIDING A PROBLEM NEVER SOVLES IT. IT JUST SHIFTS FROM THE CONSCIOUS MIND TO THE SUB-CONSCIOUS MIND & STAYS FOREVER"
હવે આમાં માનવ ની નજર માં કઈ વાત આવી છે એ તો પછી કહું પહેલા મને જે અનુભવ થયો એ શેર કરું...
મારી ઓફીસ માં ટેકનીકલનો એક માણસ હતો જે ત્યાં જોબ કરે છે અને સિસ્ટમ ને લગતા બધા 'કલર' એ જ કરે છે.
આમ પાછી ભાઈની ઉમર નાની છે છતાં જોબ કરે છે જે ઘણી સારી વાત કહેવાય.
વાત જાણે એમ છે કે એ એના ટેબલ આગળ બેઠો છાપું વાંચી રહ્યો હતો અને હું મારું કામ પતાવીને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો
મારી નજર એની ઉપર પડી અને મારા સ્વભાવ પ્રમાણે મેં એને પૂછ્યું કે શું ભાઈ મજામાં ને?
એ કહે હા બસ મજેમે હે ..
(એકદમ ફિક્કું)
બીજી વાત મેં એ નોંધી કે એના મોઢા પર એવી ચમક ના હતી જે હું દરરોજ જોઈ શકતો હતો
કંઇક તો લોચા હતા એટલે મેં એને જ પૂછી લીધું "ભાઈ ક્યાં હુઆ ઇતના ઉદાસ કયું લગ રહા હે?"
એ કહે, "અરે નહિ નહિ મેં તો મઝેમે હી હું કુછ નહિ હુઆ મુઝે!"
મેં કીધું, "બેટા, અપને દોનો કી ઉમર ભલે હી એક કયું ના હો પર મેરી આંખે ઓર દિમાગ તેરે સી કઈ તેઝ હૈ તો અબ બોલ હી દે ક્યાં હુઆ હે ક્યુંકી મેં આંખે ઔર ચહેરા પઢને મેં થોડા માહિર તો હું તો અબ બોલજા!"
એના ચહેરા પર ની વધીઘટી ચમક પણ ઉડી ગઈ.
સાચી વાત મોઢા પર કહી દીધી અને અરીસો દેખાડી દીધોને એટલે.
મને કહે, "અછા તું જાનતા હે ના મુઝે ક્યાં હુઆ હે તો બતા મુજ્હે ક્યાં હુઆ હે!"
મેં કીધું કે, :દેખ દોસ્ત મેં તુઝે ઇતના ભી નહી જાનતા તો મેં તુઝે પરફેક્ટ બતા પાઉં પર જહાતક મેં જાનતા હું ઔર અનુમાન કર સકતા હું મુજ્હે લગતા હે કે તુજ્હ્સે કોઈ ગલતી હો ગઈ હે જો તું બતાના નહિ ચાહતા" ..
પાછી ચમક ઉડી ગઈ.
એ કહે, "દેખ યાર મુઝે અભી કુછ નહિ બતાના મેં મન મેં હી રખના ચાહતા હું એક દો દિન મેં સબ ઠીક હો જાએગા, લાઈફ હે ચલતી રહેતી હે."
મેં કીધું "દેખ મુઝે તેરે પ્રોબ્લેમ જાનને મેં કોઈ દિલચસ્પી નહિ પર મેં તુઝે એક એક બાત બતાના ચાહતા હું કી અગર તું આજ મેરે સાથ અપની બાતે શેર નહિ કરતા તો મુઝે તો કોઈ ફરક નહિ પડેગા પર ફરક તો તુઝે હી પડેગા.તું એસા માનતા હે કી અગર તું અપના પ્રોબ્લેમ શેર નહિ કરેગા તો તું ઠીક હો જાએગા પર એસા નહિ હે. જિસ બાત સે તું ખોયા ખોયા હે વોહ બાત અગર તું શેર નહિ કરતા હે ના તો વોહ તેરે મન ને અંદર ઘૂસ જાએગી હમેશા કે લીએ.. વોહ તુજે ભી પતા નહિ ચલેગા પર જબ ઇસ સે ભી બડી કોઈ પ્રોબ્લેમ આએગી ના તબ જો જો બાતે તુને અપને મન મેં બંધ કર કે રખી હે વોહ બડે હી ગુસ્સે કા રૂપ લેકે તેરે સામને આએગી જો કોઈ સંભાલ નહિ પાતા ઔર કિસી કો પતા નહિ ચલતા!
અગર તું એસી છોટી છોટી બાતે શેર કર દેતા હે ના તો વોહ બડા ગુસ્સા કભી નહિ આએગા ઔર તું અપની લાઈફ કા મઝા લે પાએગા બીના એસે બેઠે હુએ."
---
છેવટે એ માન્યો અને એના મન માં જે વિચારો નું યુદ્ધ ચાલી રહ્યું હતું એને એણે બહાર કાઢ્યું અને પછી થોડો હળવો થયો મન થી,

માનવ ની નજરે:
આખા અનુભવ અને પેલા મેસેજની મહત્તાને નજરમાં લઈએ તો એવું કહી શકીએ કે જ્યારે જ્યારે આપણા ઉપર કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે એમુશ્કેલીને વધારનાર આપણે ખુદ જ છીએ.
હવે આપણે કેમ કારણભુત છીએ એ કહું:
જ્યારે મારા દોસ્ત ને ખબર પડી કે એણે કોઈ વાત થી પ્રોબ્લેમ છે કે એ કોઈ વાત થી ડીસ્ટબ છે તો એણે એ વાતને મન માંથી કાઢવાની જગ્યાએ એણે એ વાત મનમાં જ રાખી મુકવાનું કામ કર્યું.
બીજું એણે એમ માની લીધું કે આ તો એક બે દિવસ માં બધું ઠીક થઇ જ જવાનું છે તો બહાર નીકાળવાની જરૂર નથી..
પણ ખરેખરમાં શું થાય છે એ હું કહું:
જ્યારેપણ મન કોઈ વાત થી ડીસ્ટબ હોય છે ત્યારે કોઈ જોડે વાત નહિ જ કરવાનું મન થાય. જ્યાં છીએ ત્યાના ત્યાં જ બેઠા રહેવાનું મન થાય છે . આવા સમયે આપના મનને એક સહારાની જરૂર હોય છે આપણે તો ખુદ એટલા સક્ષમ નથી હોતા કે પોતાને સહારો આપી શકીએ પણ આપની વાચા , જીભ આપણને સહારો આપવા માટે તૈયાર હોય છે પણ એવા સમયે આપણને બોલવાનું પણ મન નથી થતું
પણ એ વાત તો હમેશા માટે મનની દીવાલ માં બંધાઈ જાય છે અને પછી...
આપણે એવું માની ને બેસીએ છીએ કે વાત સોલ્વ થઇ ગઈ છે "આઈ એમ ફાઈન, આઈ એમ ઓલ રાઈટ."
(એવું માની લઈએ છીએ)
આવી વાતો મન પર ભાર કરી દે છે અને પછી શું થાય છે એ તો બધાને ખબર છે કારણકે આપણે બધા પણ એ જ કરીએ છીએ.

જ્યારે પણ આવી જ કોઈ પરિસ્થિતિ આપણી સામે આવે છે ત્યારે મનની દીવાલમાં ભરેલી વાતો મોટા ગુસ્સાના રૂપમાં તમને પાછી મળે છે અને કોઈપણ વ્યક્તિ નો ગુસ્સો કેવો સરસ હોય છે અને કેવી પરિસ્થિતિ સર્જાય છે એ તો બધાને ખબર છે. તો હવે જ્યારે પણ મન ડીસ્ટબ હોય ત્યારે આ માનવની એક વાત માનજો...
કોઈ પણ દોસ્ત સાથે જે તમને લાગે કે સાંભળશે એની જોડે વાત કરો એ વાત શેર કરો અથવા તો સૌથી શ્રેષ્ઠ: ડાયરી લખવાનું શરુ કરો.
ડાયરી જેવો શ્રેષ્ઠ મિત્ર તમને ક્યાય નહિ મળે, કારણકે એ એવી વ્યક્તિ છે જે તમારા મનની વાતો ધ્યાન થી સાંભળશે અને તમને પોતાનાથી મળાવશે પણ ખરી પછી તમે પોતાને પણ સારી રીતે જાણી શકશો. પછી ક્યારેય એકલતા અને જીવન માં ડીસ્ટબન્સ નો અનુભવ નહિ થાય . :)
જીવનમાં ક્યારેય પણ એવું ના કહો કે "લીવ મી અલોન"... પોતાની અંદર વસતા માનવનો હાથ પકડો અને મનનો ભાર હળવો કરી દો. :)
http://www.facebook.com/manavninajare

No comments:

Post a Comment