Monday, October 31, 2011

લાભપાંચમમાં માનવ નો અલગ નજરીયો


લાભ પાંચમ. દિવાળીનો છેલ્લો દિવસ. ઉર્ફ "લાખેણી પાંચમ" ઉર્ફ "સૌભાગ્ય પંચમી"!
ધંધાકીય દ્રષ્ટિએ આ બહુ ખાસ દિવસ છે. આજે ધંધાકીય ચોપડાને પાયેલાગુ કરીને ,પૂજા કરીને ધંધાની શરૂઆત કરવામાં આવે છે.
મુખ્યત્વે લાભ પાંચમમાં "લાભ" શબ્દ ધંધાકીય અને જીવનમાં લાભ માટેની શુભકામનાઓ માટે કરવામાં આવે છે. અને સાથે સાથે લાભ શબ્દમાં એક અલગ ભાવ છે.
માણસ તરીકેનો જન્મ મળવો એ "માનવ"માટે સૌથી મોટો લાભ છે. એટલે લાભ પાંચમના આ શુભ અવસર પર આપણે માનવ તરીકેના જન્મને એક અનેરા લાભ તરીકે જોઈએ.
સાથે સાથે મેં એક નવી વાત આજે જાણી છે જે હું આપ સૌની સાથે શેર કરવા માંગું છું.
દિવાળીમાં અને નવ-વર્ષમાં આપણે આપણા ઘરે આવતા સંબધીઓને મીઠાઈ ખવડાવીએ છીએ. એનું કારણ શું છે? નવા વર્ષની વધી આપવા? કદાચ હા...
પણ મીઠાઈ ખવડાવવાનું કારણ એ છે કે આપણે એ સંબંધી સાથેના સંબધોમાં મીઠાશ ભરીએ, અને એ મીઠાશ હમેશા આપણા અને આપણા સંબધીના જીવનમાં રહે. એટલે જયારે પણ આપ આપના સંબંધીઓને મીઠાઈ ખવડાવો ત્યારે એ ભાવથી ખવડાવો કે આપ સંબંધમાં મીઠાશ ભરવા માંગો છો અને જયારે આપ આપના કોઈ સંબધીના ઘરે મીઠાઈ આરોગો ત્યારે એમના ભાવને "સંબધમાં મીઠાશ" સમજજો. જીવનમાં દરેક સંબધમાં આવી જ મીઠાશ આવી જશે.
જીવનમાં આવી જ રીતે મીઠાશ ભરતા રહો. ભગ્ગું આપણને આવા અવસરો આપીને આપણને જીવન જીવવાની મજ્જા કરાવતા રહે છે. બસ આપણે એને માનવની નજરે.જોવાની જરૂર છે.
કીપ મુસ્કુરાના :)
***
માનવની બીજી વાતો આપ ફેસબુક ઉપર વાંચી શકો છો :
http://www.facebook.com/manavninajare

No comments:

Post a Comment