Monday, November 21, 2011

કંઇક રચેલું અચાનક જ નષ્ટ પામે તો?

એક લેખક માટે એનો લેખ ઘણો જ અગત્યનો હોય છે, અને જયારે એ લેખ ઘણા રીસર્ચ પછી લખાયો હોય ત્યારે અચાનક એ એની નજર સામે એક સેકંડની અંદર નષ્ટ થઇ જાય તો કેવું લાગે?
કદાચ કોઈ એવું કહે કે "એમાં શું છે? ફરીથી લખાઈ જશે! ફરીથી રીસર્ચ કરીને લખી લેવાનો!"
તો એમને માત્ર એટલું કહેવાની જરૂર છે કે એ લેખ તો કદાચ લખી જશે પણ પહેલાનો લેખ નષ્ટ થઇ ગયો એનું શું?એક વખત શાંતિથી બેસીને કંઇક અગત્યની વાત લખી જુઓ અને પછી એ જ લખાણ તમારી નજર સામે જ્યારે નષ્ટ પામે ત્યારે એણે ફરીથી લખી જોજો, એવું તો નહિ જ લખાય!
ઘણા બધાને એવો વિચાર પણ આવે કે અચાનક આ વાતે હું કેમ ચઢ્યો છું! તો એનું કારણ એ છે કે મારી સાથે આ જ ઘટના ઘટી છે. લગભગ ૩-૪ કલાક મેં જે લેખ બનાવવા માટે ગાળ્યા હતા, જે લેખ આખો તૈયાર થઇ ગયો હતો એ અચાનક જ નષ્ટ થઇ ગયો.
વાત એમ છે કે ગઈકાલે સાંજે હું એક ટોપી ઉપર વિચારી રહ્યો હતો અને એ જ ટોપિક ઉપર મેં રીસર્ચ કરીને ૪-૫ પાનાંનું લખાણ લખ્યું. મારી આદત છે કે હમેશા મારું લખાણ લેપટોપમાં જ લખું છું. ગઈ કાલે એ જ કરી રહ્યો હતો. લખતા લખતા મારું ધ્યાન મારા લેપટોપની બેટરી સામે ગયું જ નહિ , જ્યારે લેખ લખાઈ ગયો ત્યારે ધ્યાન ગયું તો ખબર પડી કે બેટરી તો ઓલમોસ્ટ ખતમ ગઈ છે (કહેવાય છે ને કે એક કામમાં તમે જો ગળાડૂબ ખોવાઈ જાઓ તો આજુબાજુ શું થઇ રહ્યું છે એની ખબર ના પડે.)
મને થયું કે પહેલા જ સેવ કરી નાખું નહીતર બધી મહેનત પાણી માં જશે. "" હું પ્રેસ કરવા ગયો એની પહેલા જ લેપટોપની આંખો બંધ થઇ ગઈ! અને મારી આંખો ખુલ્લી રહી ગઈ! આને કહેવાય 'કલર' થઇ ગયો.(અને અહી બેટરી ચાર્જ કરવાનો મતલબ ન હતો કારણકે હું એક કેફેમાં બેઠો હતો અને ડેટા તો નાશ પામી ચુક્યો હતો)
અફસોસ અને થોડા ગુસ્સ્સાની લાગણી સાથે મેં લેપટોપ બંધ કર્યું, છતાં મનને ચેન ના પડયું એટલે થયું કે જેટલું યાદ છે એટલું તો ડાયરી ઉપર ટપકાવું, કેટલું લખાય એ સાચું, પછી જોયું જશે.
એમ કરતા કરતા એ જ ટોપિક ઉપર એક અલગ લેખ લખાઈ ગયો, હા એમ ના કહી શકાય કે એ લેખ પહેલા લખેલા લેખ કરતા ઘણો સારો હતો પણ નવો લેખ કઈક નવા વિચારો સાથે હતો.

હવે આ જ અનુભવને માનવની નજરે.જોઈએ:
મારી મહેનત પાણીમાં જતી રહી , મારો કેટલો સમય વેડફાઈ ગયો વગેરે વગેરે.. જો આવા જ વિચારો કરીને મેં મૂડ બગાડી નાખ્યો હોત અને જો હું કેફેથી નીકળી ગયો હોત તો મને એક અલગ લેખ ના મળ્યો હોત.
જીવનનું પણ એવું જ છે, આપણી સાથે ઘણી વખત એવું બને છે આપણે કોઈ કામ પાછળ સખત્ત મહેનત કરી હોય અને એ કામ સંપૂર્ણ રીતે કર્યું પણ હોય , અચાનક એ જ કામ નિષ્ફળ થઇ જાય અથવા તો એનું રીઝલ્ટ આપણને ૧%પણ ના મળ્યું હોય ત્યારે નિરાશા અને ગુસ્સાની લાગણી ફરતી રહે છે અને પછી કદાચ એજ કામ ફરીથી એજ કામ કરવાની ઈચ્છા જ ના થાય. પણ ...
પણ જો એ જ સમયે આપણે એમ સમજદારી રાખીએ કે જે નષ્ટ થઇ ગયું છે કે જેનું રીઝલ્ટ નથી મળ્યું એ પાછું તો નથી આવવાનું તો એને ફરીથી કરવાનો એક પ્રયાસ કરી જોઈએ. કદાચ કંઇક નવું પ્રાપ્ત થાય.
જે વિચારો કે જે રચના કે જે પણ કામ આપે કર્યું હોય એની નિષ્ફળતા બાદ જયારે ફરીથી એ જ કામ કરવામાં આવે છે ત્યારે એમાં નવા વિચારોનો ઉમેરો થાય છે જે ચોક્કસથી તમને કંઇક નવી રચના કે નવી સફળતા અપાવે છે.
"I KEPT ON WRITING, KEPT ON DIGGING MY THOUGHTS & GOT NEW DIAMOND.! :)"
SAME HAPPENS WITH LIFE, KEEP ON WORKING EVEN OF YOU LOOSE 'EVERYTHING'. IF YOU LOOSE HOPE, YOU WON'T LOOSE MUCH BUT IF YOU KEEP HOPES & KEEP ON WORKING, YOU'LL GAIN THE DIAMOND OF YOU STRUGGLE :)(અને હા, આજના આ માનવ અનુભવ સાથે સાથે માનવનો લેખ શેર કરી રહ્યો છું, જે નેક્સ્ટ પોસ્ટમાં આપ વાંચી શકો છો. :))

No comments:

Post a Comment