Wednesday, November 2, 2011

હેપી બર્થ ડે ચેનસ્મોકર કિંગ ખાન


નાનપણથી જે વ્યક્તિને હું ટીવી ઉપર જોઈને એક અલગ અંદાજમાં આવી જતો હતો, જેની મુવીઝ હું સૌથી વધારે વાર જોતો હતો અને હજુ પણ જોવાનું પસંદ કરું છું, જેના ફેન હોવાનું કોઈ ખાસ કારણ એ ખુદ જ છે એ શાહરુખ ખાનને હેપ્પી બર્થ ડે ...:)
***
ક્યારેક એમને સિગરેટ પીતા જોઈને એમ થાય છે કે માણસને પોતાની જરા પણ ચિંતા નહિ થતી હોય? કદાચ અમુક વર્ષો એ વધારે જીવી શકે જો એ આ લત છોડે, પણ જયારે લત લાગે એના પછી એને છોડવી થોડી અઘરી છે.
અચાનક જ એક વિચાર આવ્યો કે લોકો સિગરેટ કેમ પીતા હોય છે? કદાચ આ સવાલ કઈ નવો નથી. છતાં મને ક્યારેય એનો સંતોષકારક જવાબ મળતો નથી.
એક માન્યતા પ્રમાણે: "હું આર્ટિસ્ટિક માણસ છું એટલે મારે તો સિગરેટ પીવી જ પડે."
"હું તો એક્ટર છું એટલે મારે સિગરેટ પીવી જ પડે"
મોટાભાગના યંગસ્ટર્સ જયારે કોઈ છોકરી સાથે બ્રેકઅપ થયા ત્યારે સિગરેટ પીવાનું શરુ કરતા હોય છે(કારણ? એ વ્યક્તિને ભૂલાવવા માટે, પોતાને ડાઈવર્ટ કરવા માટે... વગેરે)
અમુક યંગસ્ટર્સ એમના મિત્રોને જોઈને, અમુક ફોર્સથી, અમુક વગર વિચાર્યે, અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે "જીવનમાં દરેક વસ્તુ એક વાર ટ્રાય કરવી જોઈએ!",
એક વખત "ટ્રાય" કર્યા પછી એની લત થઇ જાય એવા ઘણા નમૂનાઓ મેં જોયા છે.
અમુક લોકો સ્ટ્રેસ દુર કરવા માટે, કામનું બર્ડન "હેન્ડલ" કરવા...
મારો ફેવરિટ હીરો તો સિગરેટ પીવે છે એટલે હું પણ... આજકાલ છોકરીઓ પણ પીવે છે(પોતાની જાતને મોર્ડન દેખાડવાની લાયમાં અને ક્યારેક ખરેખરો સ્ટ્રેસ અને એકલપણું દુર કરવા) અને બીજા બહુ બધા કારણો...
છતાં માનવ કન્વિન્સ નથી થયો...
એનું કારણ એ છે કે આટલા કારણ આપીને, એની આડ અસરો જાણીને પણ બિન્દાસ સિગરેટ પીનારા કેટલાય નમૂનાઓ છે.
એક વખત મેં મારા કોલેજના ટાઈમમાં મારા ડ્રામાના સરને પૂછ્યું હતું કે "સર , જો તમને એક રોલ આપવામાં આવે જેમાં તમારે સિગરેટ પીવાની હોય , તો શું તમે એ રોલ એક્સેપ્ટ કરો?"
એમનો જવાબ "રોલ કરવા પુરતી પીવામાં કોઈ જ વાંધો નથી પણ એની આદત ના પડે એનું ખાસ ધ્યાન રાખું."
અમુક લોકો નશો કરવા માટે સિગરેટ પીવે છે જેથી એમના કામમાં પૂરેપુરા ઘૂસીને એ કામનો પુરતો "ન્યાય" આપી શકે.
જગજીતસીંગ એમના દરેક શો પહેલા દારુના બે ત્રણ પેગ મારતા અને પછી જ શોની રંગત જમાવતા,
જ્યારે લતા મંગેશકરની વાત કરીએ, એમને કોઈ જ પ્રકારનો નશો નથી. હા, એક નશો છે "ગાવાનો". એ જ્યારે ગાતા હોય ત્યારે એમની બાજુમાંથી એમના કરોડો રૂપિયા કોઈ લઇ જાય તો પણ એમના સિંગિંગમાં એ ડૂબેલા હોય.
"એને જ અસલી નશો કહેવાય."(કન્ફ્યુંઝીન્ગ પણ સત્ય)

અમુક ડોક્ટર્સ એવું કહેતા હોય છે કે "દિવસમાં ૧ સિગરેટ પીવી નુકશાનકારક નથી. એ તમારી અંદરના હાનીકારક જીવાણુનો નાશ કરે છે. "
પણ આ વાત વાંચીને "એને બ્લાઈન્ડલી ફોલો ના કરવું." એ ડોક્ટર એમ પણ કહે છે કે એની સાથે તમારે હેલ્ધી ફૂડ પણ ખાવું પડે, તમારી લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવી પડે અને "સિગરેટ વધે નહિ" એનું ધ્યાન રાખવું પડે.
આ વાતને બીજા નજરીયાથી જોઈએ તો "જો તમને ખાડો ખોદવાનું મન હોય(સિગરેટ પીવાનું મન થાય) તો બિન્દાસ ખોદો, પણ સામે એટલી જ માટી પૂરવાનું રાખો(હેલ્ધી ફૂડ ખાવાનું રાખો.) " (ફરીથી કન્ફ્યુંઝીન્ગ પણ ન ફોલો કરાય એવું સત્ય)

નશો કરવો કે ના કરવો એ આપણા મનની વાત છે. કોઈ પણ નાશને આદત બનાવવી એ  આપણી જ ચોઈસ હોય છે પણ...
 "જો એ જ લતને કોઈ પણ સમયે છોડવાની તાકાત તમારામાં ના હોય તો એ નશો ક્યારેય ના કરવો."
આજે શાહરુખ ખાનની બર્થ ડે છે તો પેલા ભગ્ગુંને એટલી જ પ્રાર્થના કે એમને આયુષ્ય બક્ષે અને એમને સિગરેટની આડઅસરો (જે એમના શરીરમાં પ્રવેશી ચુકી છે) એનાથી સલામત રાખે.:) કીપ મુસ્કુરાના :)
***
માનવના બીજા આર્ટીકલ્સ ફેસબુક ઉપર આપ વાંચી શકો છો:
http://www.facebook.com/manavninajare

No comments:

Post a Comment