Tuesday, November 22, 2011

UNANSWERABLE QUESTION:જીવનનો અર્થ શું છે?


રવિવારની સાંજે હું મારી ફેવરીટ જગ્યાએ બેઠો હતો, મોટેભાગે એવું થાતું હોય છે કે કાંઇક લખવું છે એમ વિચારીને જ જાઉં છું પણ આ દિવસ થોડો અલગ હતો, મગજમાં એક પણ વિચાર નહિ, માત્ર પોતાનીસાથે વાતો કરવા જઈ ર્રહ્યો છું એમ જ વિચાર હતો.
ત્યારે અચાનક જ મારા મગજમાં એક વિચાર ઝબુક્યો.
"આ દુનિયામાં એવા કયા સવાલો છે જેનો કોઈ જ જવાબ નથી?"
આપણે ગૂગલ ભાઈને પૂછ્યું તો બહુ બધા એવા સવાલો મળ્યા જેના જવાબ આપણી પાસે નથી. એમનો એક સવાલ મને અલગ વિચારે ચઢાવી ગયો જે છે::
જીવનનો અર્થ શું છે?
અત્યાર સુધી ઘણું રીસર્ચ કર્યું ઘણા ધર્મ ગ્રંથો વાંચ્યા પણ આ સવાલનો પરફેક્ટ જવાબ તો હજુ નથી જ મળ્યો. છતાં મેં દરેક ધર્મ આ સવાલ વિષે શું કહે છે એ જાણવાનો પ્રયાસ કર્યો:

કેથલિકના મતે:
જીવનનો અર્થ એ છે કે આપણને જે લાઈફ મળી છે એ દરમ્યાન પોતાને મૃત્યુ મતે માનસિક રીતે તૈયાર કરવું. અહી એક વાતને ખાસ નોંધવામાં આવે કે કેથલિક લોકો મૃત્યુને ડર કે નેગેટીવ શબ્દ તરીકે નથી જોતા. તેઓ એને સર્વસ્વીકૃત માનીને એને સ્વીકારે છે અને એને જીવનના અંત માટેનું બિંદુ માને છે.

બુદ્ધિસ્ટના મતે:
જીવનનો અર્થ છે નિર્વાણ સુધી પહોચવું .નિર્વાણનો સામાન્ય અર્થ જોઈએ તો 'મોક્ષ' થાય.
તેઓ માને છે કે તમારા જીવન દરમ્યાન તમે કર્મ કરો , મૃત્યુ પામો , અને ફરીથી જન્મ પામો, કર્મ કરો અને ફરીથી મૃત્યુ પામો અને ફરીથી જન્મ પામો. આમ આ જીવન મૃત્યુની ભાગભાગમાંથી આપ ક્યારેય નથી છુટતા. પણ જીવન નો સાચો અર્થ ત્યારેજ સાર્થક થાય છે જયારે એ જીવન મૃત્યુની સાઈકલમાંથી આપ છુટો અને નિર્વાણને પામો.

મુસ્લીમના મતે:
જીવનનો અર્થ છે કે બંદગીની પ્રાપ્તિ કરવી , બંદગી કમાવવી. એને થોડા વધારે લંબાણ સાથે જોઈએ તો આપણને મળેલ જીવન દરમ્યાન એવા કર્મ કરવા જેથી અલ્લાહ તમારા છેલ્લા દિવસે તમને સ્વર્ગમાં મોકલવા કે નર્કમાં મોકલવા એ નક્કી કરે, જીવનના છેલ્લા દિવસને તેઓ કયામત કા દિન કહે છે , જજમેન્ટ ડે પણ કહેવાય છે. એ દિવસે ખુદા, અલ્લાહ તમરા કરેલ કર્મની યાદી તપાસે છે અને એ કર્મદ્વારા તમારું સ્થાન નક્કી થાય છે. એટલી મુસ્લીમોના મતે જીવનનો અર્થ છે સારા કર્મ કરીને સ્વર્ગમાં સ્થાન પામો.

હિંદુના મતે:
મૃત્યુ અને જન્મના બંધનમાંથી છૂટવું એ જ જીવનનો મર્મ. એ સર્કલ ઓફ લાઈફ માંથી છૂટવાનો એક જ રસ્તો છે કે તમને મળેલ જીવન દરમ્ય સારા કર્મો કરો અને તમારા પહેલાના જન્મના પાપ ધોઈ નાખો. કારણકે તમને મળેલ જન્મ એ ગયા જન્મ નું પરિણામ છે. અમુક કામ બાકી રહી ગયા છે જેને પૂર્ણ કરવા માટે તમારે આ જન્મ લેવો પડ્યો છે, બસ એ જ જન્મ હવે ફરીથી ના લેવો હોય તો આધ્યાત્મ તરફ વાળો અને પોતાના કર્મ પૂર્ણ કરી મોક્ષની પ્રાપ્તિ કરો.
***

આ બધું વાંચ્યા પછી બધું ઓલમોસ્ટ સરખું જ લાગે છે કારણકે દરેક ધર્મ આ જ શીખવે છે, માત્ર એના વર્ઝન અલગ અલગ છે. છતાં માનવ મન ને શાંતિ નથી મળી કારણકે એ સવાલનો જવાન તો હજુ પણ વણકહ્યો છે. તો જીવન નો અર્થ છે શું???????

"જીવન નો સાચો અર્થ- દરેકનું જીવન અલગ અલગ એટલે  દરેક ના જીવન ના અર્થ એમના મુજબ અલગ અલગ. આપણે ખુદના જીવન નો અર્થ શોધવા અહી આવ્યા છીએ અને એને સાર્થક કરવા માટે ભગ્ગું એ આપણને એક મોકો આપ્યો છે"
એનો સીધો અર્થ છે કે જીવન નો અર્થ પોતના મુજબ જ હોય છે અમુક લોકોને એનો ખ્યાલ આવે છે અને અમુક લોકો બીજાના જીવન નો અર્થ પોતાનો માનીને ફોલો કરતા હોય છે.
માનવ માને છે કે "પોતાના" જીવનનો અર્થ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે એ જરૂરી છે છતાં જો અર્થ ના મળે તો છડ્ડો જી , લીવ યોર લાઈફ વિથ પેશન એન્ડ હેપીનેસ. ધેટ્સ ધરીયલ મીનીંગ ઓફ લાઈફ. :) કીપ મુસ્કુરાના :)

No comments:

Post a Comment