Thursday, November 10, 2011

હેપ્પી દેવ દિવાળી અને गुरु नानक जयंतीदी लख लख वधाइयु ... :)

આજે છે પૂનમ.
દેવદિવાળી.
ગુરુનાનક જયંતી/ગુરપૂરબ.
ઇન શોર્ટ મજ્જાનો પવિત્ર દિવસ. જીવનમાં ઘણા દિવસો આવે છે જે આજની જેમ પવિત્ર હોય છે. આવા દિવસે આપણા પ્રિય મિત્ર "ભગ્ગું" સાથે વાતચીત કરવાનો મોકો ચૂકવાનો નહિ. એમને મળી આવવાનું.
માનવની વાત કરું તો આજે કૃષ્ણજીને પણ મળવાનું અને ગુરુ નાનકજીને પણ મળવાનું. આપણામાંથી ઘણા લોકો માત્ર મંદિર, માત્ર દેરાસર કે માત્ર ચર્ચમાં જતા હોય છે, હું એમ નથી કહી રહ્યો કે એ ખોટું કરી રહ્યા છે. સારું જ છે. પણ જયારે બીજા ધર્મને થોડું અજુકતું કરવામાં આવે ત્યારે ખોટું છે. અને એ બાબતે ભગ્ગુંની કૃપા હમેશા માનવ ઉપર હમેશા રહી છે.
દરેક ધર્મના પૂજા સ્થાનકોમાં હું જઉં છું(માત્ર મસ્જીદમાં જવાનું બાકી છે જે હું ટૂંક સમયમાં જઈશ). દરેક ધર્મ વિશે જાણવાની ઈચ્છા અને એમાં કંઇક સારું પ્રાપ્ત કરવાની મજા જ કઈ અલગ છે. કારણકે એમાજ સાચો "માનવધર્મ" રહેલો છે.
હવે આજની જ વાત કરું...
આજે ગુરુદ્વારામાં જવાનું, વિધિવત બાબાજીને અને બાબાગ્રંથ સાહેબને નમવાનું અને થોડી ઘણી ફરમાઈશો કરીને આવવાનું ;)
પછી ઇસ્કોન મંદિર જઈને કૃષ્ણમય થઇ જવાનું. :) એમાં પણ એક અલગ આનંદ છે.
ભગ્ગું હમેશા આપણને આનંદ આપવા તૈયાર હોય છે, બસ આપણે એ તરફ જોવાની જરૂર છે.
આજે એક કામ કરજો. આપના ઘરની આજુબાજુ ગુરુદ્વારા તો હશે જ, ત્યાં આજે જતા આવજો. થોડી ભીડમાં ભીડાવવું પડે તો પણ જજો. એક અલગ શાંતિનો અનુભવ થશે. પછી મારા કાન્હાને પણ મળતા આવજો. :) આજનો દિવસ માનવની નજરે.ઉજવીએ.
હેપ્પી દેવ દિવાળી અને गुरु नानक जयंतीदी लख लख वधाइयु ... :)
કીપ મુસ્કુરાના :)

No comments:

Post a Comment