Saturday, November 26, 2011

26/11/2008-જખમ હજુ પણ રૂઝાયા નથી.

૨૬/૧૧/૨૦૦૮
સાચું કહું તો આજે આ દિવસ વિશે વાત કરવાનું મન નથી.
કારણ એ છે કે ૨૦૦૮માં જે કારમી ઘટના થઇ એના જખ્મો ક્યારેય રુઝાશે નહિ, અને કદાચ રુઝાઈ ગયા હશે તો એના ડાઘા તો હમેશા આપણા હૃદય ઉપર અંકિત થયેલા જ રહેશે.
આજે ફરીથી લોકોમાં એજ રોષ ઉભરાઈ આવશે, શ્રદ્ધાંજલિ અપાશે, ફરીથી કસાબ નામનું તુચ્છ પ્રાણી લોકોની ગાળોનો શિકાર થશે.ફેસબુક ઉપર કસાબને લાતો મરાતા ફોટા અપલોડ અને શેર થશે.
પણ આનું પરિણામ શું? પેલું 'તુચ્છ પ્રાણી' છેલ્લા ૩.૫ વર્ષથી ભારતીય નાગરિક બનીને બેઠું છે, એના કારણે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે માત્ર એની 'સલામતી'(!) પાછળ , એ જાહોજલાલીમાં જીવી રહ્યો છે,એની જાહોજલાલી જોઇને તો ક્યારેક હસતા હસતા વિચાર આવે છે કે ઘણા બધા લોકો આ કસાબને જોઇને આતંકવાદી બનવાનું વિચારતા હશે. ("આવી જાહોજલાલી ભારતમાં મળે અને એ પણ મફતમાં, તો તો મારે કરિયર તરીકે આતંકવાદી જ પસંદ કરવું જોઈએ!")
પણ માનવને તરત વિચાર આવ્યો કે આજે આ ડિસ્કશનનો પણ કોઈ જ અર્થ નથી કારણકે આજે તો કસાબનો જન્મદિન છે ને, એટલે જેલમાં તો મજાનું સેલિબ્રેશન ચાલી રહ્યું હશે, જયારે આ બાજુ આપના અને મારા લોહી ઉકળી રહ્યા છે.
એના કરતા તો આજે એક જ કામ કરાય, લોહી ઉકાળવાની જગ્યા એ તુચ્છ જીવ કસાબને સંબંધિત જેટલી પણ પોસ્ટ છે એને "અવોઇડ" કરો.
કારણકે સરકાર આપણને કસાબ એટલેકે તુચ્છ જીવને મારવાની પરવાનગી નથી આપતી તો પછી એની એજ વાતો યાદ કરીને જીવ ઉકાળવાની  શું જરૂર છે?
(જો પરવાનગી મળી હોત તો પહેલી ગોળી આપણી જ વાગી હોત, પણ આ તો આપના અને મારા જ પૈસે એની સિક્યોરીટી થઇ રહી છે તો કઈ થઇ નહિ શકે, હા એ વાત પણ અલગ છે કે જેમ શરદ પવારને લાફો પડ્યો એમ કસાબને ઉડાડી દો તો વાંધો નથી પણ વાંધો એ છે કે એને શરદ પાવર કરતા વધુ સલામતી મળે છે ;))
હવે થોડી ગંભીર વાત કરું, ૨૬/૧૧ ના દિવસે જે લોકો 'શહીદ' થયા હતા એ તમામ રીયલ લાઈફ ફાઈટર્સ ને માનવ દિલથી શ્રદ્ધાંજલિ આપે છે અને એમાંથી પ્રેરણા લઈને અનેક  રીયલ લાઈફ ફાઈટર્સ જન્મ લે અને તુચ્છજીવની ગટર સમાન 'આતંકવાદ'ને દુર કરે એવી ભગ્ગુંને પ્રાર્થના કરે છે.:)

No comments:

Post a Comment