Tuesday, December 13, 2011

COPY PASTE!


આ બંને શબ્દો આપણા મગજમાં કેવા ઝણકાર ઉભા કરે છે.
આપણે કોઈ સ્ટેટ્સ ફેસબુક ઉપર પોસ્ટ કર્યું હોય એ જ સ્ટેટસ જોઈ કોપી કરીને નામ લખ્યા વગર પોતાના જ નામે લખે તો કેવું લાગે?
મોટા ભાગના એક કમેન્ટ તો લખીને જ આવે "એ ભાઈ કોપી પેસ્ટ ના કર!"
કેવું નહિ? પોતે રચેલું કોઈ પણ કાર્ય જયારે કોઈ બીજાના નામે ચઢી જાય એટલે આપણી અંદરની સાચી ભાવનાઓ અને થોડો ગુસ્સો બહાર આવી જાય, અને એ કઈ ખોટું પણ નથી એનું કારણ એ છે કે કે માણસનો 'સ્વભાવ' છે.
મારી ખુદની જ વાત કરું તો જ્યારથી મેં આ પેજ શરૂ કર્યું છે ત્યારથી મોટાભાગના સ્ટેટસ કે માનવ અનુભવ કે માનવ મંત્ર મેં કોપી થતા જોયા છે, હમણાં હમણાં ફેસબુક ઉપર સ્ટેટ્સ શેર કરી શકાય છે એટલે કોપી પેસ્ટનું પ્રમાણ ઓછું છે પણ હા , ઘણા અંશે આ હજુ પણ થઇ રહ્યું છે.
મેં ઘણી વાર નોંધ્યું છે કે ફેસબુક પર મોટાભાગના લોકો કોપી પેસ્ટ કરીને જ તો વાહ વાહ મેળવે છે. ક્યારેક વિચાર આવે છે કે લોકોને પણ કેવી મજા આવતી હશે કોપી પેસ્ટ કરવાની? એ તો લોકોને જ ખબર પણ અહી વાત થોડી અલગ કરવી છે.
અમદાવાદ મિરરમાં જયારે મારો આર્ટીકલ આવ્યો હતો ત્યારે એની જર્નાલીસ્ટે મને પૂછ્યું હતું કે "આપ આપના પેજ ઉપર અને બ્લોગ ઉપર આપની કવિતાઓ , માનવ મંત્ર અને માનવ અનુભવ પોસ્ટ કરો છો, શું એ કોપી થઇ જશે એની ચિંતા નથી?"
મેં કહ્યું "મેડમ ચિંતા કઈ વાતની હોય? "લોકો મારું લખાણ જો પોતાના નામે લખીને પોસ્ટ કરે તો પણ કોઈ જ ફરક નથી પડતો કારણકે હું લખ્યા વગર રહી નહિ શકું અને લોકો કોપી કર્યા વગર રહી નહિ શકે. જો હું લોકોની ચિંતા કરીશ તો પૂરતું ધ્યાન લખવા ઉપર નહીં આપી શકું. અને જો આ જ વાતને હું મારા નજરીયાથી જોઉં તો જે લોકો કોપી કરે છે એ લોકો મારી જ વાતને બીજા લોકો સુધી પહોચાડવામાં મદદ કરે છે
સાથે સાથે માનવ તો એક જ વાત માને છે કે "ક્રિએટીવી એક એવો પારસમણી છે જે સર્જાઈ જાય એમાં જ સર્જકને સંતોષ થઇ જતો હોય છે કારણકે સર્જકનો આશય છે સર્જન કરવાનો. એ સર્જન લોકો કોપી કરીને પોતાના નામે લખશે તો પણ સર્જકની ઓરીજીનાલીટી એ કોપી નહિ કરી શકે"

You can Copy my Manav Anubhav, Manav Mantra but U can not Copy "Manav HIMSELF"!

એટલે આખી વાતને જો માનવની નજરે.કહું તો ...
"સર્જન અને સર્જક બંને અભિન્ન અંગો છે. જેમાં સર્જન થઇ ગયા પછી સર્જકને એ ચોરાઈ જવાની કે કોઈ બીજું એનો ક્રેડીટ લઇ જશે વગેરે ની ચિંતા નથી હોતી જો એ ચિંતા કરે તો એની સર્જનાત્મકતા ઘટતી જાય છે"
આપની અંદર કોઈ સર્જનાત્મકતા હોય તો એને કોઈ પણ ડરથી છુપાઈને અંદર ભરીને ના રાખો. કારણકે એ સર્જનાત્મકતા જ આપની સાચી ઓળખ છે" :)

1 comment: