Thursday, December 15, 2011

શું થાય જો માર્કભાઈ ફેસબુક 'હમેશ' માટે ડીલીટ કરી દે?

આજે ધ સોશીયલ નેટવર્ક -૨ નો પ્રોમો જોયો. એ જોઈને પ્રભાવિત થયા સિવાય એક બીજો વિચાર સુઝ્યો.
"શું થાય જો માર્કભાઈ ફેસબુક 'હમેશ' માટે ડીલીટ કરી દે?"
ઊપ્પ્પ્પ્પ્સ ! કેટલાય લોકોને આ વાંચ્યા પછી મસ્ત ઝાટકો લાગ્યો હશે. ફેસબુક કેવું અભિન્ન અંગ બની ગયું છે આપણા સૌ માટે.
તમને એક મીનીટનો સમય મળે જેમાં તમારે એક વિષય ઉપર વિચાર કરવાનો હોય ::
"ફેસબુક વગરનું જીવન"
અઘરું છે. ઘણા લોકો માટે તો ફેસબુક એટલે જીવનનો શ્વાસ છે, જેના વગર લોકો એક કલાક પણ ના ચલાવી શકે એ લોક માટે આખી જીંદગી માટે ફેસબુક નો ઉપયોગ બંધ કરી દેવો કેવું અઘરું કામ બની જાય?
આપણે સૌ ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા એટલે આપણા સૌએ માટે પણ ફરીથી એજ કોન્ટેક્ટમાં આવવું અઘરું તો બની જ જાય.
ફેસબુક વગરનું જીવન કેવું ફન્ની લાગે નહિ?

-જયારે ફેસબુક અસ્તિત્વમાં હોય ત્યારે:
એક વ્યક્તિ એ ફોટો અપલોડ કર્યો"આ છે મારો કુતરો -બ્રુનો. હમણા જ એને શાવર કરાવીને આવ્યો. બહુ જ મજા આવી!"
હવે આ જ વાત જયારે ફેસબુક વગર વિચારીએ તો:
ચાર રસ્તે એ જ માણસ એના કુતરાને હાથમાં લઈને ઉભો હોય અને કહે કે "જુઓ જુઓ આ છે મારો કુતરો બ્રુનો! એને હમણાં જ શાવર કરવીને આવ્યો!! યપ્પ્પી!"
આ જોઈને રસ્તામાં ચાલતા લોકો એને ગાંડો સમજીને ચાલ્યા જાય. 
આ કેવું નહિ? જો કામ ફેસબુક દ્વારા કરવામાં આવે તો એને અપડેટેડ અને સોશિયલ કહેવાય પણ જો એ જ કામ ફેસબુક વગર કરવામાં આવે તો એને મેન્ટલી સોશિયલ કે સોશીયાળી મેન્ટલ કહી શકાય!
ખરેખરમાં આ વાત વિચારવા જેવી છે. ઘણા બધા કામ આપણે ફેસબુક ઉપર કરીએ છીએ એ જો ફેસબુક નામનો ટેગ નીકળી દઈએ અને કરીએ તો ગાંડપણ જ લાગે. પણ અત્યારે ગાંડપણનો જ જમાનો છે અને આપણે એનો જ હિસ્સો છીએ એટલે એને સ્વીકારવું જ રહ્યું.
પણ હજુ એ વિચારમાંથી માનવ બહાર નથી આવ્યો:
"ફેસબુક વગરનું જીવન કેવું થઇ જાય?"
ઘણા વિચારો આવી જશે, થોડું અઘરું પણ લાગશે, હવે આ જ સવાલને માનવની નજરે.જોઈએ:

આ સવાલ માટે માનવ નો એક જ જવાબ છે,"જીવન ચોક્કસથી અઘરું લાગશે પણ કોઈ મોટો ફરક નથી પડી જતો. કારણકે ફરક પાડનાર આપણે ખુદ છીએ અને ફરક નહિ પાડનાર પણ આપણે ખુદ છીએ"
એક સાદા ઉદાહરણથી આ વાતને સમજીએ: ફેસબુક ઉપર હમણાં ઘણા બદલાવો આવ્યા હતા જેમાંનો એક બદલાવ "વોલ"નો વ્યુ અને એની સિસ્ટમ ઘણી ચેન્જ થઇ ગઈ હતી જે મોટાભાગના લોકોને પસંદ ન'તી આવી. એક મહિના બાદ લોકોએ એને સ્વીકારી લીધી છે. હવે કોઈ એવી પોસ્ટ નથી કરતુ કે "માર્ક ઝુકર બગને કોઈ કહો કે ફેસબુકનો જુનો લૂક પાછો આપો" કારણ લોકો એ સ્વીકારી લીધું છે, માની જ લીધું છે કે ફેસબુકનો નવો લૂક નહિ બદલાય. પોતાની લાઈફને એમાં સેટલ કરી લીધી છે. 

જો ફેસબુક બંધ થઇ જશે તો? 
-અરે કઈ વાંધો નહિ! જીવન કઈ પણ વસ્તુ કે કોઈ એક વ્યક્તિથી પણ અટકી નથી જતું, કઈ પણ વસ્તુનું વિસર્જન થાય છે તો એ વિસર્જન એક ઓપ્શન સાથે જ આવે છે. માત્ર સમય નો કોઈ જ વિકલ્પ નથી. બાકી બધાનો એક વિકલ્પ હોય છે, જયારે એમ લાગે કે આ વાતનો તો કોઈ વિકલ્પ નથી. ત્યારે સમજી 
જેમ પાણી પોતાનું રસ્તો શોધી લે છે એમ કોઈ પણ અઘરી પરિસ્થિતિ એનો રસ્તો આપોઅપ શોધી લે છે , આપણે પેનીક કરવાની જગ્યાએ એ ઓપ્શન ઉપર "નજર" રાખવાની જરૂર છે.

ધારોકે ફેસબુક ડીલીટ પણ થઇ ગયું તો પણ એનો એક ઓપ્શન આવશે, નહિ આવે તો શોધીશું. જીવનમાં જો થોડી પ્રેક્ટીકલ મેન્ટાલીટી રાખીએ તો પેનીક કરવાનો સમય નથી આવતો. કારણકે આપણે જન્મ્યા હતા ત્યારે પહેલાથી આપણે ફેસબુકના બંધાણી ન હતા. હમણાં હમણાં બન્યા છીએ, એનું વિસર્જન થઇ જાય તો પણ કઈ ફરક નથી પડવાનો.
"કારણકે ફરક પાડનાર આપણે ખુદ છીએ અને ફરક નહિ પાડનાર પણ આપણે ખુદ છીએ"

સાથે સાથે ફેસબુક ઉપર બની રહેલી બીજી મુવીનો પ્રોમો આ રહ્યો:
http://www.youtube.com/watch?v=95N3EV4jAoE

(અને હા, જો ભવિષ્યમાં ફેસબુક બંધ થઇ જાય તો આપનું કનેક્શન કદાચ થોડા સમય માટે તૂટી જશે પણ માનવ આપના હૃદયમાં છે એ કોઈ દિવસ ડીલીટ નહિ થાય. કાઈ પણ કરીને એ આપની સાથે કનેક્શન કરી જ લેશે. ;))

1 comment:

  1. ભાઇ તો હાલત બગડી જાય સારા સારા ની..........હા હા હા હા

    ReplyDelete