Thursday, December 15, 2011

૧૭ પે ખતરા!

લગભગ ગઈકાલની જ વાત છે. માનવની નજરે.પેજ ઉપર એક વાચકમિત્રએ લખ્યું કે "તમારા ૧૭૦૦ ફેન્સમો આંકડો પુરો થયો , કોન્ગ્રેચ્યુલેશન!" 
સ્માઈલ સાથે થેન્ક્યુ કહીને માનવ મગજમાં એક વિચાર ઝબુક્યો! 
૧૭નો આંકડો. બહુ પહેલા સંભાળ્યું હતું "સતરે પે ખતરા!"
આ તો એક સંયોગ છે કે મને ૧૭ના આંકડાની આ અંધશ્રદ્ધાભર્યું વાક્ય યાદ આવ્યું. આના સિવાય બીજા ઘણા અંધશ્રદ્ધાભર્યા વાક્યો આપણે સાંભળતા હોઈએ છીએ અને "ફોલો" પણ કરતા હોઈએ છીએ.
બિચારી બિલાડીએ રસ્તો પસાર કર્યો હોય તો એ અપશુકન કહેવાય એવું અન સાંભળ્યું છે.
એમાં મારો એક અનુભવ કહું . લગભગ ૭-૮ વર્ષ પહેલાની વાત છે. હું અને મારા એક મિત્ર એમના વેહિકલ ઉપર ક્રિકેટ મેચ રમીને પાછા આવી રહ્યા હતા ત્યાં જ એક બિલાડીએ રસ્તો કાપ્યો. મારું ધ્યાન હતું પણ મને અચાનક જ ઝાટકા સાથે બ્રેકનો અહેસાસ થયો. મેં પૂછ્યું કે “ભૈલા અચાનક શું થયું”?
મને કહે કે “યાર પેલી નાલાયક બિલાડીએ રસ્તો કાપ્યો ને એટલે. આપણા પહેલા કોઈ વાહન પસાર થાય પછી જ જઈશું “. મેં કહ્યું “આવું બધું તું ક્યારથી માનવા લાગ્યો?”
ભાઈ કહે“ અરે તને યાદ છે મને બે મહિના પહેલા કુતરો કરડ્યો હતો? એ દિવસે બિલાડીએ મારો રસ્તો કાપ્યો હતો . બસ એ જ દિવસ થી જ મેં આ વાત પર માનવાનું શરુ કરી દીધું છે.”
જોરદાર છે ને? આપણામાંથી ઘણા લોકો આવી “જોરદાર” મેન્ટાલીટી ધરાવતા હશે, સંજોગને જયારે કોઈપણ દુર્ઘટનાનું કારણ માનવામાં આવે ત્યારે જ અંધશ્રદ્ધાનો ઉદભવ થાય છે.
બીજો અનુભવ પણ કંઇક આવો જ છે.
મારા એક ફ્રેન્ડને મેચ રમવાનો ગાંડો શોખ અને સારો બેટ્સમેન. એક મેચમાં ભાઈ બેટિંગ કરી રહ્યા હતા અને ૧૭ રન્સ કર્યા, હજુ પીચ ઉપર હતો ત્યાંજ સ્ટેડીયમમાં કોઈ વ્યક્તિ બોલ્યું “સતરા પે ખતરા”.
અને ત્યાજ ભાઈ આઉટ થઇ ગયા. વિલે મોઢે પાછો આવ્યો. હું હજુ કઈ બોલું એની પહેલા જ પેલા ભાઈ જે સરસ વાક્ય બોલ્યા હતા એ મારા મિત્રને કહે “હું તો હમણાં જ બોલ્યો કે સતરા પે ખતરા” અને તું આઉટ થઇ ગયો. લાગે છે ૧૭ નંબર તારા માટે અનલકી છે!” બસ એ બોલ્યો ત્યારથી મારા દોસ્ત સાહેબ ૧૭ નંબરને પોતાનાથી દુર રાખે છે. અનલકી સાબિત થઇ ગયો ને!
માનવ ના મતે અનલકી અને લકી આપણી ખુદની નજર ઉપર ડીપેન્ડ કરે છે. જો એ ૧૮ રન્સ ઉપર આઉટ થયો હોત તો ૧૮નો આનાકડો પણ એના મતે અનલકી સાબિત થયો હોત એમાં કોઈ શંકા નથી. કારણકે “અઠરા પે ખતરા” એવો પ્રાસ પણ બને.
તો એનાથી સીધી સાબિતી એ મળી કે આપણા ઉપર લકી કે અનલકી પરિસ્થિતિનો આધાર રહે છે. આપણે જો એને લકી બનાવવી હોય તો એ લકી કે નોર્મલ પરિસ્થિતિ હોય છે અને જો એને સંજોગ માનવાની જગ્યાએ માત્ર અનલકી માનવી હોય તો એ પણ આપણા જ હાથમાં છે.
ઘણી વાર એવી પરિસ્થિતિઓ આપણી સાથે ઘટતી હોય છે જે આપણને વિચારવા ઉપર મજબુર કરે છે કે આ તો અનલકી જ છે. પણ થોડું પ્રેક્ટીકલી વિચારો અને માનવની નજર કેળવો તો બધું લકી જ લાગશે. અહી હું લકી અનલકી ની વાત ઉપર વધારે વાત કરી રહ્યો છું એની પાછળ નું કારણ એ છે કે ઘણી વખતે આવી માન્યતાઓને કારણે આપણે ઘણું બધું ચુકી જતા હોઈએ છીએ. જે લોકો માન્યતાઓ કે અંધશ્રદ્ધાઓ ધરાવે છે એ જરા ધ્યાનથી વિચારશે તો એમને ખ્યાલ આવશે કે એમની માન્યતા કે અંધશ્રદ્ધાને લીધે એમણે ઘણું બધું ગુમાવ્યું હશે. જીવનની સારી સારી પળો આવીજ માન્યતાઓને લીધે આપણે ચુકી જતા હોઈએ છીએ અને હમેશા આવીજ માન્યતાઓ માં સપડાયેલા રહીએ છીએ. જરા ધ્યાનથી વિચારજો “તમે તો આવી કોઈ અંધશ્રદ્ધાનો શિકાર નથી ને?” ;)

2 comments:

  1. aa to dekhade chhe ke "Posted 17 Hours ago"

    ReplyDelete
  2. હાહા આ ફોટો તો ડેબિયનના ૧૭મા જન્મદિનનો લાગે છે! (debian.org)

    ReplyDelete