Tuesday, December 13, 2011

કોઈ પણ કામ નાનું નથી હોતું, કામ કરો છો એ મહત્વનું છે!


હમણાં ઇન્ડિયામાં ટોમ ક્રુઝ અને અનિલભાઈ ચમકી રહ્યા છે.
એમ આઈ-૪: ઘોસ્ટ પ્રોટોકોલ નામની મુવીના પ્રમોશન માટે બંને સુપર સ્ટાર ભારતમાં મોટાભાગની આંખોનું ધ્યાન ખેચી ગયા હતા. એ મુવી વિષે અને એના પ્લોટ વિષે એક આર્ટીકલ વાંચી રહ્યો હતો.
આ એ આર્ટીકલ છે જેમાં હોલીવુડ રિપોર્ટર અને અનીલ કપૂરનું કન્વર્ઝેશન છે. જેમાં એક સવાલ મને બહુ ગમી ગયો. હોલીવુડની રિપોર્ટરએ અનીલ કપૂરને એક સવાલ પૂછ્યો કે આ મુવીમાં તમારો રોલ કેટલો છે?
અનીલ કપૂર:આ મુવીનો હું એક હિસ્સો છું એજ મારો સૌથી મોટો રોલ છે. ઇન્ડિયન મુવીઝની ભાષામાં સમજાવું તો આ મુવીમાં મારો "ગેસ્ટ અપિયરન્સ" છે , પણ એ ગેસ્ટ અપિયરન્સનું મહત્વ માત્ર એ એક્ટર જાણે છે જે એ રોલ કરે છે. કારણકે એ રોલ નાનકડો હોવા છતાં એક જ શોટમાં ડિરેક્ટરને પરફેક્ટ આપવાનો હોય છે, એટલે હું એમ કહી શકું કે આ મુવીમાં મારો ઘણો મહત્વનો રોલ છે."
આ ઇન્ટરવ્યુમાં મને એક અલગ નજરીયો જણાયો જેને માનવની નજરે.આ પ્રમાણે કહી શકું:
 લગભગ ૯૯.૯૯% લોકોએ આ વાક્ય સંભાળ્યું હશે "કોઈ પણ કામ નાનું નથી હોતું"
અગણિત વખત આ વાક્ય સંભાળ્યા બાદ પણ આપણે એ વાક્યને પૂર્ણતાથી ફોલો નથી કરી શકતા. એની પાછળનું કારણ આપણી ખુદની મેન્ટાલીટી! આપણે સ્ટેટ્સ વાળા સમાજમાં રહીએ છીએ જેમાં અમુક હદની નીચેનું કામ આપણાથી ના થાય એવું માનીને રોજબરોજના જીવનમાં ઘણા કામ આપણે નથી કરતા. (માત્ર એમ માનીને કે આ કામ તો નાનું છે હું કેમ કરું?)
એક સાદું ઉદાહરણ આપું. જે વ્યક્તિ ભારતમાં રહેતો હોય છે એટલે કે પોતાના ઘરે રહેતો હોય છે એ ઘરનું કામ લગભગ નથી કરતો. પણ જયારે એને બહાર રહેવાનું આવે છે ત્યારે ટોઇલેટ પણ ગર્વથી સાફ કરે છે.
અહી સાફ કરે છે એ કામમાં વાંધો ઉઠાવું છું એવું ના માનશો.
વાંધો એ વાતનો છે કે પોતાના ઘરે કામ કરવામાં નાનપ કેમ આવે છે?
ઘરમાં મમ્મીને મદદ કરવામાં કેમ નાનપ આવે છે ?
કોઈ પણ કામ નાનું નથી એ વાત જાણતા હોવા છતાં હમેશા એ વાક્યને ફોલો કરતા નાનપ કેમ અનુભવાય છે?
એની પાછળ કારણ એ છે કે આ રીત પહેલાથી ચાલી આવી છે કે અમુક કામ કરીએ તો આપણે નાના ગણાઈએ. આપણાથી આ કામ ના થાય. એના માટે તો પેલા કામવાળા ભાઈ કે બહેન જ આવે. આપણે તો શેઠ કહેવાઈએ.
જેમ જેમ પૈસો વધ્યો છે , સુવિધાઓ વધી છે એમ એમ માણસ એની માનસિકતાથી અને કામ કરવાની વૃતિથી ખોખલો થઇ રહ્યો છે.
માન્યું કે આપણી પાસે ઘણી સુવિધાઓ છે અને આપણે કામ કરવાની જરૂર નથી .
પણ "કામ કરવાની જરૂર નથી" એ વાક્ય જ આપણને ખોખલું કરી દે છે. મેં પોતાના જ કેસમાં નોંધ્યું છે કે જયારે આપણે નાના ગણતા કામને કરીએ છીએ ત્યારે એ આપણને ઘણું બધું શીખવે છે "ડાઉન ટુ અર્થ રહેતા શીખવે છે" જે આજના જમાનામાં ઘણું જ જરૂરી છે, કારણકે જે લોકો ડાઉન ટુ અર્થ નથી રહી શકતા એ લોકો જીવનમાં ઘણું ગુમાવતા હોય છે.
માનવના મતે ડાઉન ટુ અર્થ રહેવાનો એક જ કીમિયો છે:
સૌ પ્રથમ તો નાનું કામ અને સ્ટેટ્સ વાળું કામ, આ બંને શબ્દો વચ્ચેનો ભેદ બાજુમાં મૂકી દો. દરેક કામ મહત્વનું છે કારણકે એ કામ તમે કરો છો. જે કામ કરવામાં નાનપ અનુભવાય એ કામ મનથી અવોઇડ કરવાની જગ્યાએ સૌથી પહેલા કરો. ધીમે ધીમે સ્ટેટ્સવાળા માણસની મનોવૃત્તિ મનની અંદરથી દુર થતી જશે જે હમેશા ડાઉન ટુ અર્થ રાખશે.
આપના રોજબરોજના જીવનમાં ઘણા કામ આપ નહિ કરતા હો એ બધા કામને માનવની નજરે જુઓ અને એ કામ કરવાનું શરુ કરો
હમેશા એક વાત ધ્યાનમાં રાખો :"કોઈપણ કામ નાનું નથી હોતું" :)

No comments:

Post a Comment